|      જીવન નો મુખવાસ        [1] ઉતાવળે પરણીને આપણે નિરાંતે પસ્તાઈએ છીએ         [2]      ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવુંતે પ્રગતિછે, પરંતુ ભેગા મળી કામ કરવુંતે સફળતા છે.         [3]   'નથી' તેની ચિંતા છોડશો તો 'છે'          તેનો આનંદ માણી શકશો.         [4]      જીભ કદાચ તોતડી હશે તો ચાલશે, પરંતુ તોછડી હશે તો નહિ ચાલે.         [5]      મેળવજો નીતિથી, વાપરજો પ્રીતિથી, ભોગવજો રીતિથી, તો બચી જશો દુર્ગતિથી.         [6]      દુશ્મન કરતાં દોસ્તને માફ કરી દેવાનું કામ વધુ કપરું છે…!!         [7] જરૂર કરતાં વધારે જમવું એટલે સ્મશાનમાં જવું !              [8]     પત્નીની વાત પતિ ખરેખર સાંભળતો ત્યારે હોય છે, જ્યારે પોતાની પત્ની ઉચ્ચારતી ન હોય તેવો શબ્દેશબ્દ એ સમજી જતો હોય !         [9]   લગ્ન જીવન સફળ બનાવવા માટે અનેક વાર પ્રેમમાં પડવું જરૂરી છે – હંમેશા એની એ વ્યક્તિ સાથે.                  [10] માતાનું હૈયું એ શિશુની શાળા છે.              [11] એક કુટુંબનું જે નિર્માણ કરે છે ને તેને ટકાવી રાખે છે,          અને જેના હાથ હેઠળ બાળકો ઊછરીને ખડતલ ને ચારિત્ર્યવાન નરનારીઓ બને છે, તે નારીનું સ્થાન એકમાત્ર ઈશ્વરની પછી આવે છે.         [12]            સફળતાની સડક એવા પુરુષોથી ભરચક હોય છે – જેમને પીઠ પાછળથી એમની પત્નીઓ આગે બઢાવતી હોય છે.         [13]          સર્જનહારની સમસ્ત સૃષ્ટિમાં સુંદરમાં સુંદર ને સૌથી દિવ્ય છે બાળકો.         [14]   પ્રાણ એ પ્રથમ ભેટ,          સ્નેહ એ બીજી અને સમજણ એ ત્રીજી.         [15] વસ્તુની નજીક જઈએ એટલે એનું સૌંદર્ય પ્રગટ થાય છે,પણ એનું કાવ્યતો દૂરથીજ ખીલે છે              [16]   માણસ ફુલાવાનું જલ્દી સ્વીકારે છે,          યોગ્ય રીતે પણ સંકોચાવાનું નહીં !         [17]          સૌને મન ભરીને માણવું છે, જીવવું છે- પણ મન ક્યારેય ભરાતું નથી, પેટની જેમ!         [18]          વ્યક્તિની પ્રસન્નતા એની આંતરિક સુંદરતા દર્શાવે છે,વિચારો એના મનોજગતના આંદોલનોની સ્થિતિ બતાવે છે અને વર્તન એનાં હૃદયની ભાષા વ્યકત કરે છે.         [19] મનની વિચાર દષ્ટિને પણ મોતિયો આવે છે ખરો!     [20]          જીવનનો પહેલો સંઘર્ષ મન સાથે કરવો પડે છે. કારણ કે એને નકારાત્મક વલણનો સહેલો રસ્તો જ પસંદ છે.         [21]   માણસને મોતથી વધુ એનાં 'ડર' ની બીક લાગે છે!                  [22] આદત ધીમેધીમે જરૂરિયાત બની જાય ત્યારે માનવીની મજ્બૂરી જીવનને મૂરઝાવી દે છે.         [23] પૃથ્વી પર લહેરાતાં ફૂલો,          ફૂલો પર રહેલાં ઝાકળબિંદુઓ અને બાળકો ઈશ્વરના દસ્તખત છે.         [24]   માણસનો વ્યવહાર અને વૃત્તિઓ એનું દર્પણ છે.                  [25]  આત્મપ્રશંસા જેવું કોઈ ઝેર નથી, આત્મનિંદા જેવું કોઈ અમૃત નથી!         [26]          ખાઈમાં પડેલો બચી શકે, પણ અદેખાઈમl પડેલો માણસ બચી શકતોનથી.                    |